પ્રેમ એ પૃથ્વી પરના તમામ જીવોને એકબીજા પ્રત્યે જોડી રાખતી લાગણી છે. પ્રેમભાવ માનવ જેવા સમજદાર પ્રાણીના હૈયાની અનેક અભિલાષાઓને તૃપ્ત કરે છે. દયા, કરુણા જેવી લાગણીઓ પ્રેમની લાગણીને મજબુત બનાવે છે. જયારે ક્રોધ અને ઈર્ષા જેવા ભાવોથી ઉદભવતી નફરતની લાગણી માનવ હૈયાઓમાં રોપાયેલા પ્રેમના અંકુરણોનો નાશ કરી દે છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ મારી બધી જ વાર્તાઓ પ્રેમ અને નફરત વચ્ચેથી પસાર થઇ વાચકોના દિલમાં સ્થાન પામશે એવી આશા સાથે આપ સૌ સમક્ષ મારું આ બીજું પુસ્તક ધરી રહ્યો છું.