માનવ જીવનમાં સમાંતરે ચાલતા સુખ દુઃખના પ્રવાહમાંથી અનાયાસે હ્રદયને કોઈક પ્રસંગ ક્યારેક હતાશ કરી જાય તો ક્યારેક ઉત્સાહ પ્રેરી જાય.
બસ આજ ઘટમાળમાંથી જે કંઈ ઉદભવ્યું એને આજે કાગળ પર ઉતારી આપ સમક્ષ રજૂ કરું છું.
અશ્રુનો કોઈ ચોક્કસ પ્રકાર નથી હોતો, છતાં અશ્રુની ઓળખ... વ્યક્તિના રૂદનના પ્રસંગ, સ્થળ અને વ્યવહારથી દેખાઈ આવે છે. દરેકનો અનુભવ અને અભિવ્યક્તિ કદાચ જુદા હશે.
પરંતુ, અશ્રુની ઓળખ જે આપણે નક્કી કરી શકતા નથી.