લોકભારતી સણોસરાનો વિદ્યાર્થી
"સ્નેહાક્ષર "કાવ્ય સંગ્રહ
"મારા લાડકવાયા "ચરિત્રગ્રંથ અને "જોગાનુજોગ "નવલકથા પ્રકાશિત થયેલ છે.
Book Summary
જગદીશભાઈ રથવી તેઓએ કાગળ પર મારી વેદનાની સંવેદનાઓનું આકલન કરવા માંડ્યું. તેમણે સૌ સમક્ષ મારી વેદના ખુલ્લી મૂકી દીધી. તેમની કલમથી લખાયેલ એક એક શબ્દ જાણે કે મારા એક એક આંસુમાં બોળેલાં હોય એવું લાગતું. મને એમની પરિંદે અને પીનુ પ્યારે નવલકથાઓનો અનુભવ હતો, પણ જ્યારે એમણે મારી વેદનાની સંવેદનાને પુસ્તકનો આકાર આપ્યો ત્યારે એમની કલમની તાકાત પામી શકી.
સાચુ કહું તો હું કદાપી મારી આ વાતો કોઇની પણ સમક્ષ રજૂ ન કરી શકત. મને એની જરુરત પણ નહોતી. પરંતુ કિરણબેન અને જગદીશભાઈએ એમની કુનેહ અને સિફતથી મારી અંદર બહારની વાતો કઢાવીને સતત મારી આંખેથી વહેતાં આંસુનાં પ્રવાહમાં મારી સાથે રહ્યાં, અને તેઓએ તેમની કલમ થકી કાગળ પર અવિરત મારી વેદનાનો પ્રવાહ વહેતો કરવા પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને તેમાં સફળ રહ્યાં છે.
- નિશા નાયક "પગલી"