સામા પાણીએ ઝાવાં મારવાને બદલે તરીને પેલે પાર જવું હોય તો એના પ્રયત્ન કરવાના રહેશે. એ વાત સ્વીકારીને આગળ વધવાનું રહે છે. ખોટાં છબછબિયાં કરવાથી કશું જ નહીં વળે, શું છે એના કરતાં શું કરવું જોઈએ એ તરફના પ્રયાસોમાં સકારાત્મક ઊર્જાઓનો ઉપયોગ કરવો જોઈએ. નકારાત્મકતાને દૂર કરો, આવું જ કંઈ શુકન અપશુકનનું હોય છે. આજે દુનિયા ભલે એકવીસમી સદી તરફ આગળ વધી રહી છે તેમ છતાં શુકનનો વાત આવે તો આપણે મૌન ધારણ કરી લઈએ છીએ. અમારા કલમના કસબી પરિવારની પ્રથમ પુસ્તક શોપિઝન પ્લેટફોર્મથી પ્રકાશિત થઈ રહ્યું છે. આશા છે કે આપ સૌ એને વધાવી લેશો.
- જીજ્ઞા કપુરિયા "નિયતી"