કોરોના કાળ ઘણું બધું શીખવી ગયો. ઘણાનું ઘણું બધું છીનવી પણ ગયો. જે હોય તે કોરોના જીવન જીવતાં શીખવી ગયો. લેખન કાર્ય મારું કોરોના કાળ દરમિયાન શરૂ થયું. રોજ નવું લખવું અને રોજ નવું વાંચન કરવાનું પણ કોરોના એજ તો શીખવ્યું છે. કાવ્ય સંગ્રહની પ્રેરણા જે તે અપાયેલા શબ્દ પરથી મળી. શબ્દ વાંચીને જે વિચારધારા ફૂટે એમાંથી જ લખવાની પ્રેરણા મળે. અને શબ્દને આધારિત આખી કવિતા રચાઈ જાય.
જે દેખાય છે અથવા જે જોઈએ છીએ એમાંથી પ્રેરણા લઈને લખાઈ જાય છે. કર્મ, ધર્મ અને જીવનના પ્રસંગો પર લખવું ગમે છે. કોઈના દુઃખમાં ભાગીદાર તો થઈ શકાતું નથી. પણ દુઃખ ઓછું થાય તેવા પ્રયત્નો જરૂર કરું છું. રોજબરોજની જિંદગીમાં ઘણુંબધું જોવા અને જાણવા મળે છે. બસ ત્યાંથી જ કંઈક શીખવાની શરૂઆત પણ થઈ જાય છે.