આ ઉંમરે પણ તેઓને સંસાર સુખીથી ચાલતો હતો. કેન્સર હોવાને કારણે પુષ્પાની તબિયત અચાનક બગડી હતી. તેની હાલત એટલી ગંભીર થઈ ચૂકી હતી કે તેને દવાખાને લઈ જતી વેળાએ એ ખબર જ નહોતી કે પુષ્પા પાછી આ ઘરમાં આવશે કે નહી? પુષ્પાને બાથમાં લઈને દવાખાને લઈ જતી વખતે તેનાં ઘરનો એ ઉંબરો ઓળંગતા તો પ્રણવ ડોસાને જાણે સદીઓ લાગી હતી...