મહેરપુરના ઐતિહાસિક ઝૂલતા પુલ 'મહેરબ્રિજ' પર આકાર લેતી, નિલ અને અર્ચનાની આ એક એવી પ્રેમકથા છે, જ્યાં બાળપણની નિર્દોષ દોસ્તી અને નિલના એકતરફી પ્રેમનો એકરાર એક ભયાનક દુર્ઘટનાનો સામનો કરે છે. સ્વભાવે ડરપોક ગણાતો નિલ જ્યારે પોતાના ડર પર જીત મેળવીને, હજારો લોકોની વચ્ચે અર્ચનાને પ્રપોઝ કરે છે, ત્યારે એક પળ માટે લાગે છે કે સઘળું સુંદર છે, પરંતુ મહેર નદીના ઊંડાણમાં છુપાયેલું કાળનું ચક્ર કંઈક અલગ જ ઈતિહાસ લખવા તત્પર હોય છે. શું એક રોમેન્ટિક સાંજ જીવનભરના વિરહમાં ફેરવાઈ જશે? પ્રેમ, બલિદાન, હિંમત અને અણધાર્યા વળાંકોથી ભરપૂર આ હૃદયદ્રાવક નવલકથા તમને છેલ્લા પાના સુધી જકડી રાખશે અને વિચારતા કરી મૂકશે કે શું સાચો પ્રેમ મૃત્યુ પછી પણ જીવી શકે છે?