• 08 April 2024

    કણિકાઓ

    આંગણું

    5 135

    કણિકા - ૩
    આંગણું

    આપણાં ઘરમાં રહેલું આંગણું એ આપણાં ઘરમાં આવનાર દરેક અતિથિનો સત્કાર કરે છે. આંગણાંમાં રહેલો તુલસીક્યારો મનુષ્યમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે જેની તમારાં સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે.

    જો ઘરમાં આંગણું હોય તો બાળકો પણ ત્યાં રમી શકે છે. રમત પણ એક પ્રકારની કસરત જ છે અને રમવાના લીધે બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. હવે તો ઘરમાં આંગણા ભાગ્યે જ જોવા મળે છે. નસીબદાર હોય છે એ લોકો કે જેમના ઘરમાં આંગણું હોય છે.

    -પૃથ્વી ગોહેલ
    ૦૮/૦૪/૨૦૨૪, સોમવાર




    pruthvi gohel