શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જીવન જીવવા દિશાનિર્દેશ આપતું અનુપમ ગ્રંથ છે. આજના સમયમાં પણ લોકો તેનો અભ્યાસ કરી અને તેના વિશે જાણવા તત્પર છે, હવે તો તેનો અભ્યાસક્રમમાં પણ સમાવેશ થયો છે.
પરંતુ, મોટાભાગના લોકો એક શ્લોકનો ગૂઢ અર્થ સમજવામાં નિષ્ફળ ગયા હોય એવું લાગે છે, એ શ્લોક છે - "योग: कर्मसु कौशलम" અર્થાત્ કર્મની કુશળતા એ જ યોગ છે.
દરેક વ્યવસાયમાં જોડાયેલ વ્યક્તિને પોતપોતાના કાર્ય તરફ સંતોષની લાગણી નથી. જાણે તેના ઉપર કોઇ હન્ટર પકડીને તેને કામ કરાવે છે એવું દરેક ક્ષેત્રમાં લાગ્યા કરે છે.
આ અસંતોષની લાગણીનું એકમાત્ર કારણ છે "કર્મની કુશળતાનો અભાવ" કોઈ પણ કાર્ય માત્ર કરવા ખાતર નહીં પણ પૂર્ણ સમર્પણના ભાવ સાથે કરવું જોઈએ.પોતાના કાર્ય પ્રત્યે જો કુશળતા પ્રાપ્ત કરી લઈએ તો બીજા કોઈ તપ, કર્મકાંડ , યજ્ઞયાગાદિની જરૂર રહેતી નથી. કર્મ જ યોગ બની જાય છે.
- મમતા મહેશ્વરી