251પતિએ પત્ની સાથે બાપ જેવો નહિ પણ દિકરા જેવો વ્યવહાર કરવો જોઈએ...
કારણ કે એ તમારા બાપ જેવા સ્વભાવને એ ધિક્કારશે નહીં જ પણ ક્યારેય મનથી સ્વીકારશે પણ નહીં અને સ્ત્રીઓની લાંબા ગાળાના વિચારોવાળી બુદ્ધિ શક્તિ સત્ય હોય છે.
જો સ્ત્રી સામે તમે એક બાળક તરીકે વરતશો તો એ તમને મિત્ર સ્વરૂપે સ્વીકારશે અને તમારી બહુ કાળજી લેશે. નાની નાની બાબતોનું ધ્યાન રાખશે જ્યારે એક બાપ તરીકેના તમારા સ્વભાવથી હમેશાં રડતી રહેશે.
જો કે એક સ્ત્રી ક્યારેય ન ઈચ્છતી હોય કે એનું પ્રિય પાત્ર એની સામે નમી જાય, એ માત્ર એટલું ઈચ્છતી હોય કે બસ મને સમજે એને મારી સાથે ચાલે, માનસિક રીતે ક્યારે મને શું જરૂર છે એનું ધ્યાન રાખે બસ... આર્થિક રીતે મને કંઈ નથી જોતું.
( પુસ્તક રેળાયેલી કાજળમાંથી )
- જયદીપ નાગરાજ પરમાર ' અમી '