• 05 March 2025

    કૃષ્ણ

    કાનુડાની વેદના

    3 13

    રાધા ની વેદના તો સૌએ જાણી,
    પણ કૃષ્ણની વેદના તો સૌથી અજાણી…


    રાધા એ તો કહી દીધી કૃષ્ણ વિરહની કહાની,
    પણ કાનુડાની વેદના તો એની વાંસળીમાં જ સમાણી…



    કાનુડા એ તો પ્રેમની વાતો આખા જાગને જણાવી,
    પણ એના વિરહની વેદના તો એની વાંસળીમાં જ સમાણી…

    આમ તો રાધા વિના કૃષ્ણની જિંદગી છે સાવ અંધારી,
    પણ નસીબના લીધે જ થઈ રુકમણી કાનાના દિલની રાણી…

    અને એટલે જ તો પછી એને ક્યારેય મોરલી ના વગાણી,
    કારણ કે જ્યારે જ્યારે વગાડે ત્યારે યાદ આવે રાધા રાણી….

    ને જેલમાં જન્મ્યો અને ગોકુળમાં ની ગાથા ગવાણી
    , અને “વિવેકની કલમે” કાનુડાની કવિતા લખાણી…



    વિવેક આહીર "અફીણ"


Your Rating
blank-star-rating
Surbhi Katar - (06 April 2025) 3

0 0