હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (01 July 2026)આસ્થા અને મૂર્તિપૂજા બંને અલગ વસ્તુ છે. હું માનું છું કે ભગવાન એટલે એક સકારાત્મક ઉર્જા. જો વિચલિત પરિસ્થિતિમાંથી તમે સકારાત્મક અભિગમથી બહાર ન આવી શકતા હોઉં તો ગમે તેટલી પૂજા કરો, મંદિરે જાઓ; બધું નિરર્થક છે. હું નાસ્તિક નથી પણ હું ભગવાનને મંદિરોમાં નથી શોધતી. ભગવાનને શોધવા પણ શું કામ! હું સજીવ છું તો ભગવાન મારી સાથે જ છે. કાયમ, હંમેશા. જો હું પરિસ્થિતિને લડત આપી શકતી હોઉં તો ભગવાન મને મળ્યા જ કહેવાય. આ મારા વ્યક્તિગત વિચારો છે.
00
Bharat Chaklasiya - (01 July 2026)મેં ચારધામ યાત્રા ગયા વર્ષે જ કરી. એ અનુભવો લખ્યા પણ છે. આપની વાર્તા વાંચીને એ પ્રવાસ યાદ આવી ગયો. કેદારનાથમાં દર્શન માટેની ભીડમાં હું પણ પીસયો હતો. ઘોડાવાળા જે રીતે લૂંટી રહ્યા હતા એ જોઈ ગુસ્સો આવ્યો હતો. મુકેશનું એક ગીત છે..શરાબ પીને દે મસ્જિદમેં બેઠકર.. વરના વો જગા બતા દે જહાં ખુદા ન હો..' મંદિરો આસ્થાનું કેન્દ્ર જરૂર હશે પણ એના કરતાં ધર્મગુરુઓએ ખોલેલો ધંધો વધુ લાગે છે મને તો. બાકી ઈશ્વરનું હોવું કે ન હોવું એ ચર્ચા તો એટલી ગૂઢ છે કે એનો પાર આપણે પામી શકતા નથી. શોધ જારી રાખજો રૂપેશભાઈ!