વાર્તાકાર છું અને મારી અંદરની વાર્તાઓને ખોળી રહ્યો છું.
Book Summary
ભાવનગરના તળાજા ગામમાંથી ઝવેરભાઈની વાડીની ખાળકૂંડીમાંથી એક યુવકની લાશ મળી આવી છે. આત્મહત્યા કે હત્યા એ સૌથી મહત્ત્વના સવાલનો જવાબ મેળવવામાં સામાન્ય અધિકારીઓ નિષ્ફળ નીવડ્યાં છે. એથી હવે, શરૂ થાય છે અમરેલીના તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા સાહસિક ડિટેક્ટિવ આયૅન દેસાઈની ત્રણ દિવસની રૂંવાડાં ઊભા કરી દે તેવી રોમાંચક તપાસ ! રહસ્ય અને લાલચી કપટવૃત્તિના આ ખેલમાં શું મૃતકના પરિવારને ન્યાય મળશે ? શું આયૅન દેસાઈ યુવકના મૃત્યુ પાછળના સાચા કારણ અને જો હત્યા થઈ હોય તો સાચા હત્યારા સુધી પહોંચી શકશે ? તો આવો ! આ બધા પ્રશ્નોનો પરથી પડદો ઉઠાડવા માટે વાંચો મારી આખી નવલકથા - ' ખાળકૂંડીમાં મૃત્યુ'.