નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.
Book Summary
આ એક પારિવારિક સામાજિક નવલકથા છે. વાચકને આ કથામાં ગુજરાતી પરિવેશમાં પ્રેમ અને રોમાન્સની સાથે સાથે સામાજિક પ્રસંગો, પરિવારના વિવિધ રૂપો અને આત્મિક પરીવર્તનની માર્મિક અને લાગણીશીલ ક્ષણો માણવા મળશે. આ નવલકથાનો મુખ્ય આધાર તેનો નાયક છે. વાચકને કથાનો નાયક આખી જિંદગી સુધી યાદ રહેશે તેવી મને આશા છે.
ઘણીવાર સુખનું સરોવર પોતાની સન્મુખ અને હાથવગું હોવા છતાં તેનાથી તૃપ્તિ પ્રાપ્ત કરવાના બદલે મનુષ્ય જ્યારે તેને અવગણીને સૂકા ભઠ્ઠ રણમાં એક ઘૂંટડો સુખ શોધવા ફાંફાં મારે ત્યારે કેવી કરૂણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે વાત આ નવલકથા દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો છે.
આ મારી છઠ્ઠી નવલકથા છે. આ અગાઉ પ્રસિધ્ધ થયેલી મારી પાંચ નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહોની જેમ વાચકો મારી આ નવલકથાને પણ ખરા હૃદયથી વધાવી લેશે તેવી મને આશા છે.
વાચકોના અતિમૂલ્યવાન પ્રતિભાવો જાણવાની આતુરતા રહેશે.