• 20 June 2021

    કવિતા

    કૃષ્ણ વિનાની રાધા ...!!

    5 98


    રિસાય છે રાધા તેથી જ કૃષ્ણ મનાવે છે રાધાને,
    ના નથી એવું, કૃષ્ણ મનાવે છે તેથી રાધા રિસાય.

    વૃંદાવનની વાટે ને યમુનના ધાટે, રાધાને વરતાય,
    કદમ્બની ડાળે સખા ભાળી રાધા જો હરખાય.

    મારો આ કાનો ન જાય મથુરા દિલથી હું જાણું,
    ગોકુળની ગલીઓમાં એ 'માખણ ચોર'પિછાણું.

    મનાવી ન માની રાધા, તો કૃષ્ણ મોકલે ઉદ્ધવને,
    'મૃદુ'ના મતે રાધા કૃષ્ણને નહીં, શોધે એ કાનાને.



    Mahendra R. Amin


Your Rating
blank-star-rating
toral Patel - (27 June 2021) 5
વાહ ખૂબ સરસ 👌👌👌

1 1

KALYANI M PATEL - (20 June 2021) 5

1 1