નવરસ ટૂંકીવાર્તા સ્પર્ધા
મિત્રો, રસદર્શન કે રસાસ્વાદ આપણને કાવ્ય, ગઝલ કે નાટક કે અન્ય કૃતિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. રસ ક્યાંય દેખાતો નથી. એને કોઈ સ્વરૂપ કે બંધારણ નથી. "મને રસ છે કે મને રસ નથી પડતો" એવા વાક્યો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. પણ આખરે આ 'રસ' છે શું ?!
રસ એટલે કે જયારે જયારે લલિતકળાઓ આપણી સમક્ષ રજૂ થાય છે ત્યારે ત્યારે આપણું મન એક અવર્ણનીય આનંદનો અનુભવ કરે છે! સામાન્ય રીતે એને રસ કહેવાય. આપ કોઈપણ ગદ્ય કે પદ્ય વાંચો કે કોઈ નાટક કે ફિલ્મ જુઓ ત્યારે તેમાં આવતા દ્રશ્યો આપની અંદર રહેલી ઇન્દ્રિયો એ દ્રશ્યો કે કૃતિમાં રહેલા ભાવને સમજીને એને અનુરૂપ રસ પેદા કરે છે.
એક નાટ્યકાર પોતાના હાવ-ભાવ, સંવાદો, વેશભૂષા, ઉપકરણો, ગાયન વગેરે દ્વારા પોતાની કૃતિના ભાવોને મદદરૂપ થાય એવું પ્રયોજન કરે છે. જયારે એક લેખક પોતાની કલમ દ્વારા આવી રસની સરિતા વહેવડાવે છે અને વાચકોને એમાં તરબોળ કરે છે! વાચક જયારે આપે લખેલા શબ્દોને હૃદયમાં ઉતારીને ભાવક બની ઉઠે અને જે આનંદ કે અન્ય અનુભૂતિ પ્રાપ્ત કરે એને 'રસ' કહેવાય.
આપણા સાહિત્યમાં નવ રસ દર્શાવેલ છે.
૧. શૃંગાર રસ
૨. હાસ્ય રસ
૩. કરુણ રસ
૪. વીર રસ
૫. અદ્ભુત રસ
૬. રૌદ્ર રસ
૭. ભયાનક રસ
૮. બીભત્સ રસ
૯. શાંત રસ.
આપ સહુ સુજ્ઞ લેખકોએ અસંખ્ય રચનાઓ થકી આપના વાચકોને ભાવકો બનાવ્યા છે અને અનેક રસોનો આસ્વાદ અલગ અલગ કૃતિઓમાં કરાવ્યો છે!
શોપિઝન આપને આમંત્રણ આપે છે એક ટૂંકીવાર્તા લખવાનું. આપે ઉપરોક્ત કોઈપણ એક કે એક કરતા વધુ રસ ધરાવતી ટૂંકીવાર્તાનું સર્જન કરવાનું રહેશે. ખાસ ધ્યાન રહે કે વાર્તા લખતા પહેલા જ આપે કયા રસનો ઉપયોગ કર્યો છે એ જણાવવાનું રહેશે. આપ કોઈ એક રસને પ્રાથમિકતા આપી અન્ય રસ પણ ઉમેરી શકો છો પણ મુખ્યત્વે કોઈ એક રસ લેખનમાં હાવી થતો હોવો જોઈએ.
સ્પર્ધાના અન્ય નિયમો નીચે મુજબ છે. કૃપા કરી એને વાંચી સ્પર્ધામાં ભાગ લેશો.
તો તૈયાર થઇ જાઓ આપની કલમ થકી આપના વાચકોને ‘રસ’તરબોળ કરવા.
નિયમો :
1. શોપિ ટૂંકીવાર્તા સ્પર્ધા તારીખ 15/09/2025 થી શરૂ થશે અને તારીખ 30/10/2025 મધરાત્રે ૧૨ વાગ્યે પૂરી થશે.
2. શોપિઝન સ્પર્ધા તમામ લેખકો માટે ખુલ્લી છે પણ શોપિઝન, રિવીયોન્ઝ અને સફારી ઇન્ફોસોફ્ટના કર્મચારીઓ અને એમના ફેમીલી મેમ્બર્સ આમાં ભાગ લઈ શકશે નહીં.
3. શોપિઝન સ્પર્ધામાં આપ માત્ર અને માત્ર શોપિઝન માટે લખાયેલી કૃતિઓ (શોપિઝન એક્સક્લુસિવ) જ મૂકી શકશો.
4. કોઈ પણ પ્લેટફોર્મ કે અન્ય માધ્યમમાં અગાઉથી પ્રકાશિત રચનાઓ માન્ય ગણાશે નહીં. જો આપની કૃતિ અન્ય જગ્યાએ પ્રકાશિત થયેલી જણાશે તો એ આપોઆપ રદબાતલ ગણાશે.
5. કોઈ પણ જાતની નકલ અથવા તો ઉઠાંતરી કરેલી રચનાઓ અયોગ્ય ઠરશે (આ કાનૂની અપરાધ છે) અને જો કોઈ આ નિયમ તોડશે તો એમના પર કાનૂની પગલાં લેવામાં આવશે. અમદાવાદ (ગુજરાત) જૂરિસ્ડિક્શનમાં એની કાર્યવાહી થશે.
6. એક વ્યક્તિ વધુમાં વધુ 4 (ચાર) રચનાઓ સબમિટ કરી શકશે. (અન્ય જગ્યાએ એ પ્રકાશિત થયેલી હોવી જોઈએ નહીં.)
7. આપની વાર્તા ઓછામાં ઓછા ૧૫૦૦ અને વધુમાં વધુ ૩૦૦૦ શબ્દોની હોવી જરૂરી છે.
8. સ્પર્ધામાં આવેલી રચનાઓ અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી શકાશે નહીં. ઉપરાંત, તમામ કૃતિઓના પ્રિન્ટ પ્રકાશનના હક શોપિઝન પાસે રહેશે. તમામ કૃતિઓ અન્ય કોઈ પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરવા નહીં મોકલી શકાય. શોપિઝન દ્વારા એનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવશે. (એ માટે કૃતિઓમાં જોડણી-વ્યાકરણના દોષો ન હોય એ જરૂરી છે.)
9. શોપિઝનમાં કોઈપણ જાતની ધાર્મિક ઉશ્કેરણી કરવી કે અપશબ્દો લખવા કે અયોગ્ય/અશ્લીલ પ્રકારનું સાહિત્ય લખવાની મનાઈ છે. આપણા દેશના નેતાઓ અને અન્ય મહાનુભાવો વિષે અયોગ્ય લખવા પર પણ પ્રતિબંધ છે.
10. પુરસ્કારની રાશી માત્ર ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાના જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. એ સિવાયના દેશોમાંથી ભાગ લીધેલા અને વિજેતા બનેલા લેખકોનું ઉપરોક્ત ત્રણ દેશમાંથી એક દેશમાં એકાઉન્ટ હોવું જરૂરી છે.
11. કૃતિ મૌલિક હોવી જોઈએ. ભાષાકીય મર્યાદા સમજીને આપ રચના પ્રકાશિત કરશો. આ અંગેની સઘળી જવાબદારી રચનાકારની રહેશે.
12. નિર્ણાયકો પરિણામની તારીખ આપશે એટલે જાહેર કરવામાં આવશે. વિજેતાઓને શોપિઝન માન્ય પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે અને એ અંગે કોઈ વિવાદ નહીં ચલાવી લેવાય. પેનલનો નિર્ણય આખરી રહેશે. જો કોઈને એ વિષે ફરિયાદ હોય તો એ શોપિઝન કેરમાં ફોન કરીને કે ઇમેલ કરીને નોંધાવી શકે છે.
13. શોપિઝન આપને ખાતરી આપે છે કે આ સ્પર્ધા એકદમ નિષ્પક્ષ રીતે યોજાશે અને ગુણવત્તા સભર રચનાઓને જ પ્રાધ્યાન્ય આપવામાં આવશે. આમાં કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહીં. શોપિઝન આપને એ પણ ખાતરી આપે છે કે એક વાર સ્પર્ધાના વિજેતા જાહેર થઈ જાય એટલે 30 દિવસની અંદર આપના બેંક એકાઉન્ટમાં આપનો પુરસ્કાર જમા થઈ જશે.
14. જો સ્પર્ધા અંગે કોઈ પણ વિવાદ થાય તો એનું જૂરિસ્ડિક્શન અમદાવાદ (ગુજરાત) કોર્ટ રહેશે.
- પુરસ્કારની માહિતી :
પ્રથમ પુરસ્કાર - 3000/-
દ્વિતીય પુરસ્કાર - 1500/-
તૃતીય પુરસ્કાર - 750/-
ત્રણ આશ્વાસન ઇનામો - શોપિઝન પીઓડી
આપને જો કોઈ સુચન હોય તો અમારા ઈમેલ આઈડી પર આપ મોકલી શકો છો.
gujarati@shopizen.in M : 72260 67609