સૂર્ય નાડી ચાલતી હોય તે સમયે વ્યક્તિએ પ્રવાહી વસ્તુ ન લેવી જોઈએ માત્ર ખાવાની વસ્તુ લેવી જોઈએ તેનાથી ઊલટું ચંદ્ર નાડી ચાલતી હોય તે સમયે પ્રવાહી લેવું જોઈએ અને ખાવાની વસ્તુ ન લેવી જોઈએ. માત્ર આટલું કરવાથી તંદુરસ્તી જળવાઇ રહેશે, ભાગ્યે જ બીમારી થશે. સૂર્ય નાડી ચાલતી હોય તે સમયે પાચનશક્તિ તેજ હોય છે તથા ચંદ્ર નાડી ચાલતી હોય છે તે સમયે પાચનશક્તિ મંદ હોય છે.