કવિ, વાર્તાકાર અને છાલક નામના ત્રૈમાસિકના સંપાદક છે.તેઓ કોલમ પણ સારી લખી જાણે છે. શબ્દધનુ અને પૃણયાખ્યાન તેમના કાવ્યસંગ્રહો છે અને બીજીબાજુ નામનો વાર્તાસંગ્રહ રંગદ્વારના પ્રકાશનમાં તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતના તમામ સામાયિકોમાં તેમની કવિતા અને વાર્તા પ્રકાશિત થાય છે. શ્રી રઘુવીર...More
કવિ, વાર્તાકાર અને છાલક નામના ત્રૈમાસિકના સંપાદક છે.તેઓ કોલમ પણ સારી લખી જાણે છે. શબ્દધનુ અને પૃણયાખ્યાન તેમના કાવ્યસંગ્રહો છે અને બીજીબાજુ નામનો વાર્તાસંગ્રહ રંગદ્વારના પ્રકાશનમાં તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતના તમામ સામાયિકોમાં તેમની કવિતા અને વાર્તા પ્રકાશિત થાય છે. શ્રી રઘુવીર ચૌધરીના મંતવ્ય પ્રમાણે સમૂહમાનસનું નિરૂપણ કરતા કરતા વાર્તાને ગતિશીલ રાખવાની ફાવટ જગદીપ ઉપાધ્યાનની વિશેષતા છે.તેઓ વધૂમાં નોંધે છે કે જગદીપ ઉપાધ્યાયે મેઘાણીની પરંપરાને જાળવી છે. તો જાણિતા સર્જક દિનકર જોશી તેઓને વીજળીના ચમકારે મોતી પરોવતા વાર્તાકાર કહે છે.
Book Summary
કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા ગયા ત્યારે તમામ ગોપીઓ કરૂણ આક્રંદ અને વિલાપ કરવા લાગી, પણ કૃષ્ણને હ્રદયથી ચાહનારી રાધા એ સમયે રોઈ ન શકી. તેની આંતરવ્યથાનું આ ઉર્મીગીત છે.