ભૂમિધા પારેખ - (21 March 2023)ખરી વાત છે. દેવાંગી ભટ્ટની વાર્તાઓ આપણા મન પર એવી અસર છોડે છે કે કથાનક પૂરું થયા બાદ ફરી નવા વિચારો ઉત્પન્ન કરે. અને એમની વાર્તાઓના અંત એવા ચોટદાર હોય કે નિસ્તબ્ધ થઈ જવાય. હજી 'ધર્મો રક્ષતિ' નથી વાંચી પણ 'ત્વમેવ ભર્તા' વાંચી છે. એક સીધી સરળ પ્રેમાળ સ્ત્રી પોતાના જ કુટુંબીજનોના નિજી સ્વાર્થનો ભોગ બની જાય અને પોતાના જીવનનો અર્થ ગુમાવી દે, અને પછી એનો નવો અવતાર જન્મે છે. એનું દરેક કદમ સાચા ખોટાની પરે જઈને આપણને જસ્ટિફાય કરવા મજબુર કરી દે.. ખૂબ સુંદર રીવ્યુ આપ્યો. હવે 'ધર્મો રક્ષતિ' પણ વાંચીને અભિપ્રાય એડિટ કરીશ.